Satya Tv News

બેંગલુરુ ટેસ્ટ મેચના ચોથા દિવસે પ્રથમ સેશનમાં વરસાદના કારણે રમત રોકી દેવામાં આવી છે. ભારતીય ટીમ તરફથી અત્યાર સુધી ખૂબ જ સારું બેટિંગ પ્રદર્શન જોવા મળ્યું છે અને વરસાદને કારણે મેચ અટકી ત્યાં સુધી ટીમ ઈન્ડિયાએ તેની બીજી ઈનિંગમાં 71 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 344 રન બનાવ્યા હતા. સરફરાઝ ખાન 125 અને રિષભ પંત 53 રન બનાવીને બેટિંગ કરી રહ્યા હતા. આ સાથે જ ન્યૂઝીલેન્ડ પાસે હવે પ્રથમ દાવમાં માત્ર 12 રનની લીડ બાકી છે.સરફરાઝ ખાને બેંગલુરુ ટેસ્ટમાં 13 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી આ સદી ફટકારી હતી, આ પહેલા ટેસ્ટ ક્રિકેટમાં તેના નામે 3 અડધી સદી હતી. જાણીતું છે કે સરફરાઝ ખાન પ્રથમ દાવમાં શૂન્ય પર આઉટ થયો હતો. પરંતુ બીજી ઈનિંગમાં તે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.

સરફરાઝે આ વર્ષે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સામે તેની પ્રથમ ટેસ્ટ રમી હતી. અત્યાર સુધી 4 ટેસ્ટ મેચની 7 ઇનિંગ્સમાં લગભગ 56 ની સરેરાશથી 300 થી વધુ રન બનાવ્યા છે. 1 સદી ઉપરાંત તેણે પોતાના બેટથી 4 અડધી સદી પણ ફટકારી છે. ઈંગ્લેન્ડ સામેની તેની પ્રથમ ટેસ્ટ શ્રેણીમાં સરફરાઝે 3 મેચની 5 ઈનિંગ્સમાં 50ની એવરેજથી 200 રન બનાવ્યા હતા. તેનો શ્રેષ્ઠ સ્કોર 68* રન હતો. સરફરાઝ તાજેતરમાં ઈરાની કપ ટુર્નામેન્ટમાં મુંબઈ માટે પ્રથમ બેવડી સદી ફટકારનાર પ્રથમ મુંબઈનો બેટ્સમેન બન્યો હતો. આ સાથે જ સરફરાઝે મુંબઈના રામનાથ પારકરનો રેકોર્ડ તોડ્યો હતો. આ ખેલાડીએ વર્ષ 1972માં ઈરાની કપમાં 194* રનની ઈનિંગ રમી હતી.

error: