Satya Tv News

નર્મદાની મેઈન કેનાલમાં એક પરિણીતાએ ઝંપલાવ્યું હોવાની આશંકાએ શોધખોળ આદરી દેવામાં આવી છે. મહિલા છોટાઉદેપુરની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરી રહી છે. કેનાલના સ્થળ પરથી મહિલાનું બેગ મળી આવ્યું હતું. બોડેલી ખાતેથી પસાર થતી નર્મદાની મેઈન કેનાલમાં જેતપુર તાલુકાના કીકા વાળાની પરિણીત મહિલાએ ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થળ ઉપરથી મહિલાનું બેગ મળી આવ્યું છે. મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું છે કે કેમ તે શંકાના દાયરામાં છે. છોટાઉદેપુર ફાયરબ્રિગેડની ટીમે તથા પોલીસે ઘટના સ્થળે પહોંચી કેનાલમાંથી હાલ મહિલાની શોધખોળ હાથ ધરી છે.

error: