Satya Tv News

ચંદીગઢમાં તેના લાઈવ કોન્સર્ટ દરમિયાન દિલજીતે કહ્યું કે જ્યાં સુધી ભારતમાં કોન્સર્ટ માટે જરૂરી અને વધુ સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર નહીં બને ત્યાં સુધી તે દેશમાં કોઈ કોન્સર્ટ નહીં કરે. તેના આ એલાનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે તેના ચાહકોને નારાજ અને દુઃખી કરી રહ્યો છે. કોન્સર્ટ દરમિયાન દિલજીત દોસાંઝે કહ્યું કે ભારતમાં લાઈવ શો માટે યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી અને જ્યાં સુધી ભારતમાં કોન્સર્ટ માટે યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર નહીં બને ત્યાં સુધી પરફોર્મ નહીં કરવાની પણ વાત કરી હતી આ વિશે તેણે ત્યાંનાં અધિકારીઓને પણ અપીલ કરી હતી.

દિલજીતનું માનવું છે છે કે સંગીત અને લાઈવ કોન્સર્ટમાં ઘણી કમાણી છે અને આમાંથી લોકો ઘણા પૈસા કમાય છે તો આ બાબતે ધ્યાન આપવાની ખાસ જરૂર છે. દિલજીતે કહ્યું, “હું સ્ટેજને સેન્ટરમાં બનાવવા માંગુ છું જેથી લોકો તેની ચારે બાજુ ઊભા રહીને જોઈ શકે અને કોન્સર્ટનો અનુભવ વધુ અદ્ભુત બની શકે. જ્યાં સુધી અહીંની વ્યવસ્થામાં સુધારો નહીં થાય ત્યાં સુધી હું અહીં શો નહીં કરીશ. અમને હેરાન કરવાને બદલે સુવિધાઓ સુધારવા પર ધ્યાન આપો.” આટલું જ નહીં કોન્સર્ટની ટિકિટોના મસમોટા ભાવને લીધે પણ તેને ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો.

Created with Snap
error: