
ઈન્સ્ટાગ્રામ ક્વિન તરીકે જાણીતી તોફાની રાધાએ રાજકોટમાં ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત….રીલ્સની દુનિયા યુવાવર્ગને બગાડી રહી છે. સોશિયલ મીડિયા પર સ્ટાર બનીને ફરતા પર્સનલ લાઈફમાં ડિપ્રેશન અને ટેન્શનમાં હોય તેવા અસંખ્ય કિસ્સા સામે આવ્યા છે. ત્યારે રાજકોટની ઈન્સ્ટાગ્રામ ક્વીન કહેવાતી તોફાની રાધા ઉર્ફે રાધિકા હર્ષદભાઈ ધામેચા (ઉ.વ.26 ) નામની યુવતીએ આપઘાત કર્યો છે. તેના આપઘાતના સમાચાર ચોંકાનાવારા છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 46000 ફોલોવર્સ હતા. ત્યારે તેણે શા માટે આપઘાત કર્યો તે દિશામાં રાજકોટ પોલીસે તપાસ શરૂ કરી છે.
રાધિકા ના પિતા હર્ષદભાઇ ધામેચા રિક્ષા બોડી બિલ્ડીંગનું મજૂરી કામ કરે છે. આપઘાત કરી લેનાર રાધિકા ત્રણ બહેન અને એક ભાઇમાં મોટી હતી. જોકે, તે તેના પરિવારથી અલગ રહેતી હતી. રાધિકા ધામેચાના પિતા હર્ષદભાઈએ જણાવ્યું કે, હજી થોડા દિવસ પહેલા જ તે ગોવા ફરવા ગઈ હતી. રાતે 11.30 કલાકની આસપાસ તેણે ફોન કરીને મને કહ્યું હતું કે, ‘હું હવે જઉ છું.’ તેથી મેં તેને કહ્યું હતું કંઈ કરતી નહિ હું આવું જ છું તેનો ફોન કાપીને હું સીધો સાધુ વાસવાણી રોડ પર તેના ફ્લેટ પર પહોંચી ગયો હતો. પરંતું ત્યા સુધીમાં તેણે આપઘાત કરી લીધો હતો. રાધિકા ધામેચાના પરિવારજનોએ કહ્યું કે, તેમની દિકરી આપઘાત કરે તેવી નહોતી. રાતે આપઘાત કર્યો એ પહેલાના થોડા કલાક અગાઉ તેણે ત્રણ પોસ્ટ કરી હતી. આ તેની છેલ્લી પોસ્ટ બની હતી. તોફાની રાધાની આત્મહત્યાનું રહસ્ય ઉકેલવા પોલીસે તપાસ શરૂ કરી છે. . આપઘાત કરતા પહેલા એટલે કે ગઈકાલે સાંજના 7 વાગ્યા આસપાસ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર ‘પના પલટના હૈ યા કિતાબ બંધ કરની હૈ’ ડાયલોગ સાથે સ્ટેટ્સ મૂક્યું હતું.