Satya Tv News

કતારગામ રોડ પર જય રણછોડ એપાર્ટમેન્ટમાં રહેતી 12 વર્ષીય જૈનીસા કપિલ ધુધલ રવિવારે સાંજે તેની માતા કામ અર્થે બહાર ગઈ હતી અને તેમના પિતા પણ ઘરે ન હતા. આ દરમિયાન તેણે એક રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધો હતો. તેની નાની બહેનની નજર પડતા ગભરાઈ જઈને બુમો પાડતા પડોશી દોડી આવ્યા હતા. ત્યાં સુધીમાં તેણે દમ તોડી દીધો હતો. બાદમાં પોલીસને જાણ કરતા ત્યાં આવીને તેના મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.

પોલીસે કહ્યું કે, જૈનીસાએ સ્યુસાઈડ નોટમાં લખ્યુ હતુ કે, ‘મમ્મી મને માફ કરી દેજો, મારાથી ભુલથી મોબાઈલ ફોન પડી ગયો, તું મને માફ કરી દેજો, હું ફાંસો ખાઉં છું, હું મારી જાવ તો રડતી નહીં, મારા ભાઈ કાન્નો અને નાની બહેન નું ધ્યાન રાખજે.’પોલીસના જણાવ્યાનુસાર, પાણીની ડોલમાં મોબાઈલ પડી જતા ગભરાઈ જવાથી ટેન્શનમાં આવીને આ પગલુ ભર્યું હતું. પરિવારમાં એક પુત્રી અને પુત્ર છે. કપિલભાઈ મુંબઈ મહાનગર પાલિકામાં નોકરી કરે છે. માતા પણ સુરત મહાનગરપાલિકામાં નોકરી કરે છે. બાળકીના મોતને લીધે પરિવારમાં ગમગની છવાઈ ગઈ હતી.

error: