Satya Tv News

ભરૂચ જિલ્લાના નબીપુર ગામ પાસે 28 તારીખના રોજ એક ડ્રાઈવરની લાશ મળી આવી હતી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ ડ્રાઇવર દહેજ થી PTA નામનો પાઉડર ભરીને નીકળ્યો હતો. ટેન્કરને લૂંટી નરૂલ ઈસ્માઈલ હોદ્દા તેમજ અબ્દુલ અઝીઝ ખાન નામના બે લુટારુએ આ ડ્રાઈવરને જાનથી મારી નાખી તેની લાશ નબીપુર પાસે વગુસણા ગામ નજીક ભરૂચથી વડોદરા જવાના માર્ગ પર રોડની સાઇડમાં કાંસમાં ફેંકી ટેન્કરમાં ભરેલ 2664000 કિંમતનો 31 ટન પાઉડર ની લૂંટ ચલાવી ફરાર થયા હતા.આ અંગે ભરૂચ જિલ્લાની પોલીસની સાથે સાથે સુરત જિલ્લા પોલીસ પણ આરોપીઓને શોધવા કામે લાગી હોય. એલસીબી ટીમને બાતમી મળી હતી. કે આ ઘટનાના આરોપી માંગરોળ તાલુકાના કોઠવા ગામના પાટિયા પાસે ઊભા છે, અને સેલવાસ તરફ જઈ રહ્યા છે જે બાતમીના આધારે આ બંને ને એલસીબીએ ઝડપી પાડયા હતા. તેમની અંગજડતી કરતા તેમની પાસેથી પાંચ લાખ 81 હજાર રૂપિયા આવ્યા હતા.રૂપિયા બાબતે તેમને તપાસ કરતાં તેમણે દહેજ રોડ ઉપર ડ્રાઇવર મુકેશ યાદવની હત્યા કરી તેના કબજાનો પાઉડર ભરેલું ટેન્કરની લૂંટ ચલાવી હોવાનું કબુલાત કરી હતી. આ પાઉડર તેમણે અનિલભાઈ નામના ઈસમને સસ્તામાં વેચાણથી આપી દીધો હતો અને તે જ આ પાંચ લાખ રૂપિયા હોવાનું તેમણે કબૂલ્યું હતું. આ માલ ખરીદનાર અનિલભાઈ તેમને કઠવા ગામ નજીક ઉતારી મૂક્યા હતા જેથી આ ઈસમોની સાથે રાખીને પોલીસે તપાસ કરતા પોલીસને 31 ટન પાઉડરનો જથ્થો પણ પોલીસને મળી આવ્યો હતો 31 ટન પાવડરની રિકવરી કરી આરોપીઓ પાસેથી મળેલા રોકડા રૂપિયા મોબાઈલ કુલ 30 લાખ 57 હજાર નો મુદ્દામાલ કબજે લીધો હતો.

error: