Satya Tv News

ભરૂચ માં નિકોરા ગામે આવેલા ધ્યાની ધામ આશ્રમ ખાતે શિવા શક્તિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગ થી શિવા નેચર ક્યોર ધ્વારા તારીખ ૩૦\૩૧ ઓક્ટોબર ના રોજ આર્યુવેદ, નેચરોપથી, એક્યુપ્રેશર તથા યોગ થેરાપી માટે બે દિવસીય રેસિડેન્સીઅલ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આશરે 35 જેટલા શિબિરાર્થી ઓએ ભાગ લઇ ને આ વિવિધ થેરાપી નો લાભ લીધો હતો.

આવેલા શિબિરાર્થીઓને વૈદ્ય ચિરાગ રાઠોડ દવારા નાડી પરિક્ષણ,એકયુપ્રેશર,નેચરોપેથી,આયુર્વેદિક દવારા દવા વિના ઉપચાર કરવામાં આવ્યા
કૌશલ પરમાર શિરોધારા,એકયુપ્રેશર મર્મ ચિકિત્સા કરવામા આવી , રવિ ગોસ્વામી દવારા અભયંગ,શીરોધારા દવારા વાત રોગ,કમર દર્દ, સાયટિકા ના ઉપચાર કરવામા આવ્યા, શુભમભાઇ દવારા કટી બસ્તી,જાદુ બસ્તી કરવામા આવી તથા યોગ કોચ તેમજ નેચરોપેથી થેરાપીસ્ટ કામિનાબા રાજ દ્વારા દવા વગર કેવી રીતે વિવિધ રોગોમાંથી છુટકારો મેળવવોએ અંગે યોગ પ્રાણાયામનુ પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું. પાંચ લોકો ની ટીમ દવારાઅને સાથે સહયોગમા સુરેન્દ્રસિંહ, ધૃવિ,યુકતા,નિશાબેન,રચનાબેન આવનાર શિબિરાર્થીઓ પણ એટલો સહકાર આપ્યો.

વિડીયો જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: