Satya Tv News

ભરૂચ પાંજરાપોળ ખાતે ગૌ માતાના લાભાર્થે “ભજન સંધ્યા ” નું આયોજન કરવામાં આવ્યું હતું.

ગતરોજ તારીખ ૦૯-૧૧-૨૦૨૧ ના રોજ મંગળવારને લાભપાંચમ ના શુભ દિવસે ભરૂચ જે .બી .મોદી પાર્ક, પાંજરાપોળ ખાતે ભજન સંધ્યા નું આયોજન કરવામાં આવ્યું હતું.ભરૂચ પાંજરાપોળ માં રહેતી ગૌ માતાઓને ભગવાન ના સુંદર ભજનો સાંભળવાનો લ્હાવો મળે તેવા શુભ આશય થી ભજન સંધ્યા નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં અડોલ ગામનું પ્રખ્યાત ભજન મંડળે આવી ભજનોની રમઝટ બોલાવી હતી.

વિડીયો જર્નાલિસ્ટ : હરેશ પુરોહિત, સત્યા ટીવી,ભરૂચ

error: