Satya Tv News

ભરૂચના નબીપુર નજીક નેહા. નં 48 ઉપર રોડ ક્રોસ કરવા જતાં વ્યક્તિનું અકસ્માતે મોત નિપજ્યું છે

ભરૂચ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે અકસ્માતનું ઝોન બની ગયું હોય તેમ અકસ્માતની દુર્ઘટનાઓ બની રહી છે. ભરૂચના નબીપુર નજીક નેહા. નં 48 ઉપર રોડ ક્રોસ કરવા જતાં વ્યક્તિનું અકસ્માતે મોત નિપજ્યું છે. અજાણ્યા વાહનની અડફેટે ભરૂચના મકતમપુરના રહેવાસી વ્યક્તિનું કરુણ મોત નિપજ્યું છે. નબીપુર બ્રિજ નજીકની બનેલી આ દુર્ઘટનાનાં પગલે નબીપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, વડોદરાથી મુંબઈ હાઇવે પર પૂરઝડપે દોડતા વાહનો અકસ્માતનું સબબ બને છે. જેમાં અનેક નિર્દોષ વ્યક્તિઓ મોતને ભેટે છે.

વિડીયો જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: