Satya Tv News

અંકલેશ્વરની વિવિધ શાળાઓમાં બાળકોને આવકાર આપવામાં આવ્યો હતો. કોરોના મહામારી બાદ આજથી શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ શરુ કરવામાં આવતા બાળકોને મહાનુભાવો અને શિક્ષકોએ આવકાર્યા હતા.

કોરોના મહામારી બાદ આજથી શાળાઓમાં ધો.1થી 5ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે ત્યારે અંકલેશ્વરની વિવિધ શાળાઓમાં બાળકોને આવકાર આપવામાં આવ્યો હતો કોરોના મહામારીના કારણે શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ બંધ રાખવામાં આવ્યું હતું. જોકે હવે ખતરો ઓછો થતા હવે શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. આજથી સમગ્ર રાજ્યની સાથે અંકલેશ્વરમાં પણ ધોરણ 1થી5ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.નગર સેવા સદન દ્વારા વિદ્યાર્થીઓને આવકારવાનો કાર્યક્રમ ગોયા બજાર મુખ્યશાળા ખાતે યોજાયો હતો જેમા નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા, શિક્ષણ સમિતિ ચેરમેન કિંજલ ચૌહાણ, વાઇસ ચેરમેન ગણેશ અગ્રવાલ, શાસનાઆધિકારી ભરતભાઇ સલાટ તેમજ શાળા ના શિક્ષકો અને આચાર્યએ હાજર રહી બાળકોને આવકાર્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: