Satya Tv News

વાલિયા-માંગરોળ માર્ગ ઉપર આવેલ કરસાડ પાટિયા પાસેના પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવતી વેળા ઊભેલી કારમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી

વાલિયા તાલુકાનાં કરસાડ ગામના મંદિર ફળિયામાં રહેતો અક્ષય ઇન્દ્રસિંહ રણા પોતાના પરિવારના ચાર સભ્યો સાથે સુરત ખાતે બાબરીના પ્રસંગમાં મોસાળ લઈને નીકળ્યો હતો તે દરમિયાન કરસાડ પાટિયા પાસેના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવવા ઊભો હતો તે વેળા કારમાં ધુમાડો નીકળતા પરિવારના પાંચેય સભ્યો સમય સૂચકતા વાપરી કારમાંથી નીચે ઉતારી ગયો હતો અને કારને રોડની બાજુમાં ખસેડતા જ કાર ભળકે બળવા લાગી હતી આગની ઘટનાને કારણે મુખ્ય માર્ગ પર અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો જોતજોતામાં આખે આખી કાર મળીને ખાખ થઈ ગઈ હતી આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો નવી નકોર કારમાં શોર્ટ સર્કિટને પગલે આગ લાગી હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે.

error: