Satya Tv News

આઠ વર્ષ દરમ્યાન કેન્દ્ર સરકાર ની વિવિધ યોજનાઓનો લાભ દેશની જનતાને કઈ રીતે મળ્યો તેની માહિતી આપી

કેન્દ્ર સરકારનીઅનેક યોજનાને કારણે લોકોના જીવનસ્તરમાં સુધારો થયો તેના પગલે મોદી સરકાર લોકોના હ્રદય સુધી પહોંચી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આઠ વર્ષ પુરા થતા આજે રાજપીપળા ખાતે સાંસદ મનસુખભાઇ વસાવા ની આગેવાનીમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી નીલ રાવ અને વિક્રમ ભાઈ તડવી,નગરપાલિકાના પ્રમુખ કુલદીપ સિંહ ગોહિલ તાલુકા પંચાયતના પ્રમુખ હરેશ વસાવા ની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી

જ્યારથી કેન્દ્રમાં મોદી સરકાર આવી છે તે આઠ વર્ષોમાં અનેક નવી યોજનાઓ શરૂ કરાઈ છે. એનડીએ સરકારે છેલ્લા 8 વર્ષ દરમિયાન જનહિત અને દેશહિતમાં અનેક પગલાં લીધા છે તથા મહત્વકાંક્ષી યોજનાઓ અને કાર્યક્રમની શરૂઆત કરી છે. આ ઉપરાંત કાર્યપદ્ધતિ, નીતિઓ અને માપદંડોમાં પણ ધરખમ ફેરફાર કર્યા છે

વિડિઓ જર્નલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા

error: