Satya Tv News

પ્રશ્નનુ નિરાકરણ નીરાકરણ નહીંઆવે તો રસ્તા રોકો અને ચક્કાજામ જેવા આંદોલનનીઆપી ચીમકી

કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલના સાંસદ મનસુખ વસાવા સામે કરાયેલા આક્ષેપ સામે સાંસદ મનસુખ વસાવાનો વળતો જવાબ
આક્ષેપો પ્રતિઆક્ષેપોથી નર્મદાનુ રાજકારણ ગરમાયું

નર્મદા જિલ્લામાં ભાજપાના એકધારા મોટા કાર્યક્રમોની ભરમાર સામે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બેઉ પક્ષો ફફડી ઉઠ્યા છે. રાજપીપલા ખાતે ભાજપાના પેજ સમિતિ સંમેલનના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની જંગી જાહેરસભાં જોઈને ફફડી ઉઠેલા અન્ય પક્ષો સક્રિય બન્યા છે. જે અનુંસંધાનમાંનિષ્ક્રિય રહેલી કોંગ્રેસ પણ જાગી ગઈ હતી અને સાગબારામાં કોંગ્રેસનીએક જાહેર રેલીનીકળી હતી. જેમાં નર્મદા કોંગ્રેસે આદિવાસીઓને જાતિ દાખલા માટે પડતી મુશ્કેલીને રેલીનો કોંગ્રેસે મુખ્ય મુદ્દો બનાવ્યો હતો. જોકે આ મુદ્દે આક્ષેપો પ્રતિઆક્ષેપો થતાં કોંગ્રેસભાજપાએ સામસામા વળતા પ્રહારો કરતા રાજકારણ ગરમાયું હતું.
સાગબારાની રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આદિવાસીઓને જાતિ દાખલા માટે મુશ્કેલી છે પડી રહીછે આ મુદ્દાને ખાસ રેલીનો મુખ્ય મુદ્દો બનાવાયો હતો.તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં બોગસ આદીવાસીઓએ બની રહ્યા છે, તે વિસ્તારના અઘિકારીઓને દબાણ કરવાની જગ્યાએ સાચા આદિવાસી વિસ્તારમાં આધિકારિઓને દબાણ કરવામાં આવે છે.લોકો ધક્કા ખાઈને કંટાળી જાય છે પણ જાતિના દાખલા વિશે જવાબ મળતો નથી.જો યુવાનોની પ્રશ્નોના હલ વહેલી તકે નહિ આવેતો આવનારા સમયમાં અમે રસ્તા રોકો અને ચક્કાજામ જેવા અનેક આંદોલન કરવાની ચીમકી પણ આપી છે.

ધારાસભ્ય અનંત પટેલે કહ્યું હતું કે ગુજરાતનાં અંબાજીથી લઈને ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોમાં હંમેશા કોંગ્રેસનું પ્રભુત્વ રહેલું છે, સ્વ.ઇન્દિરા ગાંધીએ આદિવાસીઓને ખેડે એની જમીન અને રહે એનું ઘર આપવાની શરૂઆત કરી હતી. પેહલેથી જ આદીવાસી સમાજ કોંગ્રેસ સાથે રહ્યો છે, ભાજપ હંમેશા આદિવાસી વિરોધી રહ્યો છે, પાર તાપી નર્મદા રિવર લિંક અને કેવડીયા આદિવાસીઓનાં પ્રશ્નો કે પછી મુંબઈ – દિલ્હી કોરિડોરની વાત હોય તો દરેક જગ્યાએ ભાજપ આદિવાસીઓની જળ, જંગલ અને જમીન હડપી લેવાની કોશિશ કરી છે.
સાથે MLAએ એવો પણ દાવો કરતાં કહ્યું કે આદીવાસી વિસ્તારમાં ગત વખત કરતા આ વખતે કોંગ્રેસની વધુ બેઠકો આવશે. આદીવાસી વિસ્તારના કોંગ્રેસના નેતાઓએ સત્તાની લાલચમાં અને હારી જવાના ડરને લીધે પક્ષ છોડ્યો છે. જેને આદિવાસીઓની પડી છે. આદિવાસીઓનાં હક અધિકાર માટે જેને લડવું છે એવા તમામ કોંગ્રેસના આગેવાનો અમારી સાથે જ છે.ભાજપ કોંગ્રેસના આગેવાનોને લઈ પોતાની પાર્ટી ચલાવે છે એટલે હવે ભાજપ ખતમ થઇ જવાની છે, થોડા સમયમાં ભાજપનું અસ્તિત્વ નામશેષ થઈ જવાનું છે.

આ પ્રસંગે ધારાસભ્ય પી.ડી.વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં નલ સે જલ યોજનામાં મોટો ભ્રષ્ટાચાર થયો છે એની તપાસ થવી જોઈએ.ભાજપ સરકાર આદિવાસીઓનું હિત નથી જોતી માત્ર આદિવાસીઓનો ઉપયોગ કરી રહી છેનર્મદા જિલ્લાના સાગબારા ખાતેકૉંગેસ ના વાંસદાના ધારાસભ્ય અનેકોંગ્રેસના ગુજરાત પ્રદેશ આદિજાતિમોર્ચાના અધ્યક્ષ અનંતભાઇ પટેલેસ્ટેચ્યુ ઓફ યુનિટી પર સફાઈકામદારો ને છુટા કરી દેવા પરભાજપ સાંસદ મનસુખ વસાવા પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપના નેતાનું અધિકારીઓ માનતાનથી અને સરકારજ અધિકારીઓચલાવી રહ્યાછે સાંસદ
મનસુખ વસાવાએ રાજીનામુઆપી દેવું જોઈએ

વિડિઓ જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા

error: