Satya Tv News

ભાવનગરમાં PGVCLની બેદરકારીને લઈને માતા અને દિકરો મોતના મુખમાં ધકેલાતા ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. વીજ કરંટ લાગતા માતા એન દીકરાનું મૃત્યુ નીપજ્યું હતું. ભરતનગર નજીકના યોગેશ્વર સોસાયટીની આ દુર્ઘટનાને લઇને પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. મૃતકના ઘર નજીક આવેલ વીજપોલથી અર્થિંગ આવતુ હોવાની ફરિયાદ અનેક વખત કરવામાં આવી હતી. છતાં PGVCL ના અધિકારીઓએ કાર્યવાહી ન કરતાં પરિજનોમાં રોષ ફેલાયો છે.

યોગેશ્વર સોસાયટીમાં રહેતા માતા દાદરા ઉતરતા હતા એ વેળાએ અર્થીગને લઈને બંનેને જોરદાર ઇલેક્ટ્રિકટ કરંટ લાગ્યો હતો. આ અંગે પરિવારજનોને જાણ થતાં તાત્કાલિક લોકોના ટોળેટોળે એકઠા થઇ ગયા હતા. જો કે સારવાર મળે તે પહેલા જ માતા અને પુત્રનું મૃત્યુ થયું હતું. આથી પરિવારજનોમાં કાળો કલ્પાંત ફેલાયો છે. બીજી તરફ PGVCLની બેદરકારીને કારણે દુર્ઘટના થઇ હોવાના આક્ષેપ પરિજનોએ કર્યા હતા.

error: