Satya Tv News

નર્મદાના એકતા નગર ખાતે કોન્ફ્રન્સ યોજાઈ
કોંફ્રેન્સને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લી મુકી
કેન્દ્રીય ભારી ઉદ્યોગ મઁત્રીના દ્વારા ખુલ્લી મુકી

નર્મદાના એકતા નગર ખાતે આજે ભારી ઉદ્યોગ મંત્રાલય ભારત સરકાર દ્વારા એકદિવસીય ઉદ્યોગ 4.0 કોન્ફ્રન્સ યોજાઈ આ કોંફ્રેન્સને દીપ પ્રાગટ્ય કરી કેન્દ્રીય ભારી ઉદ્યોગ મઁત્રી ડો.મહેન્દ્ર્નાથ પાંડેએ ખુલ્લી મુકી,આ કોન્ફ્રેંસમાં મંત્રી કૃષ્ણપાલ ગુજ્જર સહીત ઉદ્યોગ સાથે સન્કળાયેલા ઉદ્યોગપતિઓની ઉપસ્થિત હતી સાથે ગુજરાત ના મુખ્ય મઁત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર થી વર્તચ્યુઅલી જોડાયા હતા.

આ કોન્ફ્રરન્સ હેતુ ભારતમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિ લાવવાનો છે અને તે માટે પ્રધાનમંત્રી મોદીની પ્રેરણાથી સમગ્ર ભારતમાં ડિજિટલ ક્રાંતિ સાથે ભારતને સજ્જ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને વધતા પ્રદુષણથી ભારતમાં દરેક રાજ્યોમાં ફેમ 1 અને ફેમ 2 દ્વારા ઈ વિહિકલમાં સબસીડી આપી પ્રોત્સાહિત કરાય છે ફેમ 1 પૂર્ણ થયું છે હવે હવે ફેમ 2માં ટૂ વહીલરની સાથે સાથે 3 વહીલર 4 વહીલર અને કોમર્સીઅલ બસોને પણ સબસીડી આપવામાં આવી છે. આજે ગુજરાત અને કર્ણાટકમાં 275 જેટલી ઈ બસોનું લોકાર્પણ કરાયું જેમાં ગુજરાતમાં 75 બસોનું લોકાર્પણ કરાયું છે ભારતમાં અત્યાર સુધીમાં 3800 થી વધુ ઈ બસો દોડી રહી છે અને આગામી સમયમાં 7000 થી વધુ ઈ બસો નો લક્ષ્યાંક છે.આ બસોને ચાર્જિંગ કરવા દેશના 22000 પેટ્રોલ પમ્પ ઉપર ચાર્જિંગ સ્ટેશન લગાવવામાં આવશે.પ્રધાનમઁત્રી મોદીનું વિસન છે કે 2030 સુધીમાં 45 ટકા કાર્બન ઉત્સર્જન ઓછું કરી શકીએ અને તે માટે બેટરી ઉત્પાદનને પણ વધારવામાં આવી રહ્યું છે .

વિડિઓ જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી નર્મદા

error: