ગાઝિયાબાદના નંદગ્રામ વિસ્તારમાં આ ઘટના ઘટી હતી, પાંચ આરોપીઓએ બે દિવસ સુધી આ પીડિતા પર રેપ ગુજાર્યો હતો. બાદમાં આરોપીઓએ પીડિતાના ગુપ્ત ભાગે સળિયો પણ નાખ્યો હતો. આ પરિસ્થિતિ વચ્ચે એવા અહેવાલો છે કે તપાસમાં સામે આવ્યું છે કે જે પણ આરોપીઓ છે તે પીડિતાને સારી રીતે ઓળખતા હતા અને બન્ને વચ્ચે સંપત્તિને લઇને વિવાદ ચાલી રહ્યો હતો. હાલ આ સમગ્ર મામલાને લઇને પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે. ઘટનાને પગલે દિલ્હીના મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ગાઝિયાબાદ પોલીસને નોટિસ જારી કરી છે અને સમગ્ર મામલે શુ કાર્યવાહી કરી તેનો જવાબ માગ્યો છે. ૧૮મી ઓક્ટોબરના રોજ નંદીગ્રામ પોલીસને આશ્રમ રોડ પર એક મહિલા અંગે જાણકારી આપવામાં આવી હતી. હાલ આ મામલે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય આરોપીઓની પણ શોધખાળ ચાલી રહી છે.