Satya Tv News

અંકલેશ્વરના ભરુચી નાકા પાસે શેરડી ભરેલ ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા કેટલાક મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.

આજરોજ બપોરના સમયે એસટી બસ ચાલક અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન આગળ ચાલતી શેરડી ભરેલ ટ્રકના ચાલકે બ્રેક કરતા એસટી બસ ટ્રકમાં ભટકાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એસટી બસમાં સવાર મુસાફર પૈકી કેટલાકને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી અકસ્માતને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા અકસ્માતની જાણ થતા એ ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી છે.

error: