Satya Tv News

ભરૂચના ઝાડેશ્વર ગામની શ્રીનાથજી સોસાયટીમાં રહેતા ભાર્ગવ નવીનચંદ્ર પુરોહિતના માસીના દીકરા ૪૧ વર્ષીય રાકેશ પ્રવીણ પુરોહિત શુકલતીર્થના ઓમકારેશ્વર ફળિયામાં પોતાના ઘરેથી બાઈક નંબર-જી.જે.૧૬.બી.એલ.૫૭૩૭ લઇ ઝઘડિયા ખાતે નોકરી ઉપર જવા નીકળ્યા હતા તે દરમિયાન ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર માંડવા ગામ પાસે માર્ગની બાજુમાં ઉભેલ ટ્રક નંબર-જી.જે.૧૮.એ.યુ.૭૦૯૦ની પાછળ બાઈક સવાર ભટકાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઈક સવાર રાકેશ પુરોહિતને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને પ્રથમ ભરૂચની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા છે અકસ્માત અંગે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: