અંકલેશ્વરની સનફ્લોરા સોસાયટીમાં મંદિર મામલે વિવાદ.
મંદિર મામલે કેટલાક લોકો સહમત તો કેટલાક લોકો અસહમત.
અસહમત લોકોએ મંદિરનો ચબુતરો તોડી પાડતા વિવાદ.
સનાતન ધર્મમાં અનુયાયીઓ મંદિર તોડવા બાબતે વિરોધ
અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલ સનફ્લોરા સોસાયટીમાં મંદિર બનાવવા મામલે વિવાદ સામે આવ્યો હતો. જેમાં સોસાયટીને કેટલાક લોકો દ્વારા મંદિર બનાવવાનો વિરોધ કરી બાંધકામ તોડી પાડવામાં આવતા મામલો ગરમાયો હતો.
અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલ સનફ્લોરા સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર સોસાયટીમાં આવેલ ખુલ્લી જગ્યામાં મહાદેવનું મંદિર બનાવવા બાબતે નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં સોસાયટીના કેટલાક લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેથી મંદિર બનાવવા મામલે સોસાયટીના કેટલાક અસહમત લોકો દ્વારા મંદિર બનાવવા બનાવેલ ચબુતરાને તોડી પાડવામાં આવતા સોસાયટીમાં મામલો ગરમાયો હતો. અને સનાતન ધર્મમાં અનુયાયીઓ મંદિર તોડવા બાબતે વિરોધ નોંધાવ્યો હતો.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર