Satya Tv News

ઘરના સભ્યો પાડોશમાં જમવા ગયા અને તિજોરીનું તાળું તૂટ્યું

પાદરા તાલુકાના સેજાકુવા ગામે નવા ફળિયામાં રહેતી નિરાલી ઉર્વેશ પટેલના પતિ દુબઈ ખાતે રહે છે. હાલ તેઓ સાસુ સસરા નણંદ અને દસ વર્ષના પુત્ર દેવાંશ સાથે ઘરે રહે છે. ગઈકાલે સવારે તેમના સાસુ આણદ ખાતે એક મરણ પ્રસંગમાં ગયા હતા. જ્યારે બપોરના 12:00 વાગે નિરાલી તેના સસરા અને નણંદ સાથે પાડોશમાં રહેતા જગદીશભાઈના ઘેર ગયા હતા. આ દરમિયાન તેમને ખબર પડી હતી કે ઘરની જાળીનું તાળું તૂટેલું છે અને તિજોરી પણ ખુલ્લી છે. જેથી તુરંત જ ઘેર જઈ તપાસ કરતા તિજોરીના ડ્રોવરમાંથી 4.40 લાખ કિંમતના સોનાના દાગીના તેમજ નણંદ લોકાની સ્કૂલ બેગની પણ ચોરી થઈ હતી. ભરબપોરે ચોરીના પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

error: