Satya Tv News

અંકલેશ્વર હાઇવે ઉપર માંડવા ટોલ પ્લાઝા પાસે અજાણ્યા વાહન ચાલકે ખારીસીંગ વેચતા ફેરિયાને ટક્કર મારતા તેનું ટૂંકી સારવાર દરમિયાન ગતરોજ ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે કરુણ મોત નીપજ્યું હતું.

અંકલેશ્વરના માંડવા ગામના મોદી ફળિયામાં રહેતા અરવિંદ ઠાકોર પાટણવાડિયાના ભાઈ મહેશ ઠાકોર પાટણવાડિયા ગત તારીખ-૨૧મી મેના રોજ અંકલેશ્વર હાઇવે ઉપર માંડવા ટોલ પ્લાઝા પાસે ખારીસીંગનું વેચાણ કરી રહ્યો હતો તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે પુરપાટ ઝડપે ધસી આવી ખારીસીંગ વેચતા ફેરિયાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઈજાઓ પહોંચતા મહેશ પાટણવાડિયાને ૧૦૮ સેવાની મદદ વડે પ્રથમ ભરૂચની સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ગત રોજ તેનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: