Satya Tv News

આણંદના વરસડા ગામમાં ખેતરમાં ખેતી કામ કરતા ખેડૂતનું વીજ કરંટથી મૃત્યુ થયું છે, વીજ વાયર પગમાં ભરાતા વ્યક્તિને વીજ કરંટ લાગ્યો હતો

  • આણંદના વરસડા ગામમાં વીજ કરંટથી ખેડૂતનું મૃત્યુ
  • ખેતરમાં વીજ વાયર પગમાં ભરાતા ખેડૂતને વીજ કરંટ લાગ્યો
  • 59 વર્ષીય ખેડૂતનું મૃત્યુ

આણંદના વરસડા ગામના કમકમાટી ભર્યા સમાચાર સામે આવ્યા છે. વરસડા ગામમાં વીજ કરંટથી ખેડૂતનું દુ:ખદ મૃત્યુ થયું છે. પાપ્ત વિગતો મુજબ ખેતરમાં વીજ વાયર પગમાં ભરાતા ખેડૂતને વીજ કરંટ લાગ્યો હતો

વરસડા ગામમાં 59 વર્ષીય ખેડૂત પોતાના ખેતરમાં કામ કરતા હતા જે દરમિયાન જમીન પર પડેલો જીવીત વીજ તાર તેમના પગમાં ભરાઈ જતા તેમનું મોત થયું છે. જીવીત વીજ તાર ખેડૂતન પગમાં વીટોળાઈ ગયો હતો અને જે કરંટના મારથી તેઓ છૂટી શક્યાં ન હતા અને જેમાં તેઓ ખૂબ દાજી ગયા હતા. જે બનાવને પગલે ખેડૂત કનુ ભરવાડનું મોત થયું છે. જે ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. 

જે બનાવને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોઝુ ફરી વળ્યો છે તેમજ પરિવાર પર આફત આવી પડી છે. આ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને ઘટનાને લઈ તમામ દુ:ખ વ્યક્ત કર્યો હતો. આ બનાવ કઈ રીતે બન્યો તેમજ લાપરવાહી કોને જેવી વિવિધ બાબતે પોલીસ તપાસ હાથ ધરી છે તેવી પણ વિગતો છે. 

error: