Satya Tv News

આ નાળામાંથી યમુનાનું પાણી દિલ્હીના ITO, ઈન્દ્રપ્રસ્થ વિસ્તારમાં ભરાઈ રહ્યું હતું. જો આ નાળામાંથી યમુનાના પાણીને રોકવામાં ન આવ્યું હોત તો શુક્રવારે બપોર સુધીમાં પૂરનું પાણી સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયું હોત. સેંકડો મજૂરો કામે લાગ્યા છે. નાળા પર બોરીઓમાં માટી ભરીને ડેમ બાંધવામાં આવ્યો હતો.

આ બાંધકામ દરમિયાન દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજ મોડી રાત સુધી ઘટનાસ્થળે હાજર હતા.ઈન્દ્રપ્રસ્થ પાસેના એક નાળામાં પાણીનું સ્તર વધ્યા બાદ પૂરનું પાણી સુપ્રીમ કોર્ટ પરિસરમાં પ્રવેશી શકે તેવી દહેશત હતી. જેને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે પાણીને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતો રોકવા ઈન્દ્રપ્રસ્થ નજીક નાળા પર યુદ્ધના ધોરણે એક નાનો ડેમ બનાવવાની શરૂઆત કરી હતી.

error: