Satya Tv News

ગીર સોમનાથમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. ગીર સોમનાથમાં ગઇકાલ એટલે કે મંગળવાર અવિરત મેઘ કૃપા ઉતરી રહી છે. ભારે વરસાદથી તાલાળા નજીકનો હિરણ-2 ડેમ ઓવરફ્લો થયો છે. ગીર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદથી ડેમમાં પાણીની ભરપૂર આવક થતા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના તમામ 7 દરવાજા ખોલાયા છે. ડેમના પાંચ દરવાજા 2 ફૂટ તેમજ 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલાવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલાતા હિરણ નદી બે કાંઠે વહેવા લાગી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

error: