Satya Tv News

આ ઘટના મંગળવાર રાતના 3 વાગ્યાની આસપાસની છે. પરિવારના લોકો ઘરની બહાર ઉંઘી રહ્યા હતા. આ દરમિયાન ધારદાર હથિયારથી ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી. તે બાદ તમામને ઘસેડીને ઘરના આંગણામાં લઇ જવામાં આવ્યા હતા અને આગ લગાવવામાં આવી હતી.

ગ્રામીણ જ્યારે સવારે ઘરની બહાર ધૂમાડો જોતા મકાન પાસે પહોચ્યા હતા. અહી અંદર જઇને જોયુ તો ખબર પડી કે ચાર પરિવારજનોના શબ પડ્યા છે.

પોલીસ તપાસ સાથે સાથે ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોચી ગઇ હતી અને પુરાવા એકઠા કર્યા હતા. આ સામુહિક હત્યાકાંડનું કારણ શું હતું, બદમાશ કોણ હતા, ક્યાંના હતા તે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યુ નથી.

ઘટનાની જાણ થયા બાદ જિલ્લા કલેક્ટર હિમાંશુ ગુપ્તા, પોલીસ વડા ધર્મેન્દ્રસિંહ યાદવ સહિત અન્ય અધિકારી ઘટનાસ્થળે પહોચ્યા હતા. SFL, ડોગ સ્કવોર્ડ સાથે DST પણ તપાસ કરી રહી છે.

error: