Satya Tv News

ઉદ્યોગ મંડળની ચૂંટણીના પરિણામ
પ્રમુખ બદલાશે કે કેમ તે અંગે ચર્ચા
૨૧મી જુલાઈએ મેનેજીંગ કમિટીની બેઠક

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ૨૧મી જુલાઈએ મેનેજીંગ કમિટીની બેઠક યોજાશે

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનની ચૂંટણી ગત-૧૩ મી જુલાઈએ યોજાઈ હતી, જેમાં સતારૂઢ સહયોગ પેનલના ૬ જયારે વિકાસ પેનલના બે ઉમેદવારો વિજેતા બન્યા હતા. આ પરિણામ બાદ હવે પ્રમુખ બદલાશે કે કેમ તે અંગે વસાહતમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. ગત વર્ષે ભારે રસાકસી બાદ પ્રમુખ તરીકે જશુ ચૌધરીની વરણી થવા પામી હતી. હવે આ વર્ષે થયેલી ચૂંટણીના પરિણામ બાદ તેઓને રિપીટ કરાશે કે કેમ તેવી ચર્ચાઓ થઇ રહી છે. મળતી માહિતી પ્રમાણે ચૂંટણી પરિણામ બાદ હિંમત શેલડીયા પ્રમુખ બનવા માટે ભારે લો્બિંગ કરી રહ્યા હોવાની ચર્ચાઓ ઉઠવા પામી હતી. જોકે અંતર્ગત સૂત્રોએ સ્પષ્ટતા કરી હતી, કે વર્તમાન પ્રમુખ જશુ ચૌધરી સતત બીજા વર્ષે પ્રમુખપદ જાળવી રાખશે. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનમાં દર બે વર્ષે પ્રમુખ રોટેટિંગ પદ્ધતિ થી અનુક્રમે સૌરાષ્ટ લોબી અને મહેસાણા લોબી માં બદલાય છે. આગામી મેનેજીંગ કમિટીમાં જો કોઈ અનહોની ન સર્જાય તો જશુ ચૌધરી રિપીટ થશે જ તેવુ મનાય રહ્યુ છે.

વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: