મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના મલકાપુર શહેર પાસે નેશનલ હાઈવે-6 પર આ અકસ્માત થયો હતો. મલ્કાપુર પોલીસ સ્ટેશનના એસએચઓ અશોક ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, એક બસ અમરનાથ યાત્રીઓને લઈને હિંગોલી જઈ રહી હતી, જ્યારે બીજી નાગપુરથી નાસિક જઈ રહી હતી. બંને બસો મધરાત્રે 2.30 વાગ્યે અકસ્માતની ભોગ બની હતી.
સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે, બે મહિલાઓ સહિત 6લોકોના મોત થયા છે અને 21 લોકો ઘાયલ થયા છે. જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. અકસ્માતને કારણે થોડા સમય માટે રોડ પરનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.