Satya Tv News

અમદાવાદમાં સતત ભેજયુક્ત વાતાવરણના કારણે આંખના રોગ કન્જક્ટિવાઇટિસના કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સરકારી દવાખાના અને ખાનગી દવાખાનામાં લોકો આંખોની તકલીફની ફરિયાદો લઈને આવી રહ્યા છે. અત્યાર સુધી અમદાવાદમાં 25 હજાર જેટલા આંખના ઇન્ફેકશનનાં દર્દીઓ નોંધાયા છે. આ રોગની સાથે જેન્ટામાયસીન આઈ ડ્રોપ, સિપ્રોફ્લોક્શસિંન આઈડ્રોપ, મોકસીફ્લોઝાસિંન આઈ ડ્રોપ,ગેટી ફ્લોક્શસીન આઈડ્રોપ, ઓફ્લોકાસીન આઈડ્રોપમાં માંગ વધી છે. આ સાથે જ સેટેરેઝીન ટેબ્લેટ,એવિલ ટેબ્લેટ જેવી દવાનાં વેચાણમાં વધારો થયો છે. જો કે દવાના વેચાણમાં વધારો થતાં ડોક્ટરની સલાહ વિના આઈડ્રોપ કે કોઈ દવા ન લેવા માટે સૂચન પણ આપવામાં આવી રહ્યા છે.

આ બિમારીથી જલ્દી સાજા થવામાટે રાખો આ ધ્યાન

વરસાદમાં કપડાંમાં બેક્ટેરિયા મરી જાય તેવા લિક્વિડનો ઉપયોગ કરવો, ઘરમાં સૂકવેલાં કપડાં સંપૂર્ણ સુકાય તેની કાળજી રાખવી, દર્દીનાં કપડાં અલગ ધોવાં અને અલગ જગ્યાએ મૂકવાં, નિયમિત દવા નાખવી, આંખને વધુ અડકવું નહિ, નિયમિત દવાથી ત્રણ દિવસમાં રોગ કંટ્રોલમાં આવે અને અઠવાડિયામાં મટી શકે છે.

error: