Satya Tv News

મુંબઈ અને દિલ્હીના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બોમ્બ વિસ્ફોટોના સમાચારે બંને રાજધાનીઓમાં ખળભળાટ મચાવી દીધો હતો. મુંબઈ પોલીસ કંટ્રોલને હરિયાણાના ઉદ્યોગ વિહાર, ગુરુગ્રામ પોલીસ સ્ટેશનના અધિકારીનો ફોન આવ્યો હતો, જેમાં તેમને જાણ કરવામાં આવી હતી કે તેઓને ગઈકાલે બપોરે 3.30 વાગ્યાની આસપાસ એક ફોન આવ્યો હતો, જેમાં કોલ કરનારે દાવો કર્યો હતો કે “ડોમેસ્ટિક એરપોર્ટ અને ઈન્ટરનેશનલ એરપોર્ટ મુંબઈ તેમજ દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટ અથવા કોઈ મોટી ઘટના બની શકે છે.

આ ધમકીભર્યા કોલ મળ્યા બાદ બન્ને જગ્યાએ પોલીસ વિભાગ અને અન્ય એજન્સીઓ પેટ્રોલિંગ વધારી દીધુ છે અને સમગ્ર એરપોર્ટની તપાસ કરવામાં આવી હતી. પરંતુ ઝીણવટભરી તપાસ બાદ પોલીસને કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. આ માહિતી કોણે અને શા માટે આપી તે અંગે પોલીસ અજાણ્યા ફોન કરનારની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ અંગે મુંબઈ પોલીસ ઝોન 8 ના ડીસીપી દીક્ષિત ગેડમે જણાવ્યું હતું કે સહાર પોલીસે આઈપીસીની કલમ 506(2) અને 505(1) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને આ બાબતની તપાસ કરી રહી છે

error: