Satya Tv News

અંકલેશ્વર સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો
દેશ વિરોધી પ્રવૃતિઓમાં સામેલ હોવાનું આવ્યું હતું સામે.
બને આરોપીઓનું હતું ISIS કનેક્શન

આઈ.એસ.આઈ.એસના અંકલેશ્વર-સુરત ખાતેથી ઝડપી પાડેલા બંને આતંકીઓને અંકલેશ્વર સેશન્સ કોર્ટે અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફરમાવી છે.

મૂળ વડોદરાનો મહંમદ કાસીમ સ્ટીમ્બરવાલા ઉર્ફે અબુ હામઝા અલ મોહજીર સુરત રહેતો હતો. અને લેબ ટેકનિશિયન તરીકે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં નોકરીએ જોડાયો હતો. જ્યારે સુરત દાવત રેસ્ટોરન્ટ ચલાવતો વકીલ ઉમેદ અહેમદ ઉર્ફે ઊબેદ મિર્ઝા 2014 થી ગુજરાતમાં આતંકી હુમલાને અંજામ આપવાની પેરવીમાં હતા.

બંને આતંકીઓ ઇસ્લામિક સ્ટેટ અને આઈ.એસ.આઈ.એસ સાથે જોડાયેલા હતા. લોન વુલ્ફ એટેક માટે હથિયારો પણ એકત્ર કરવાની ફિરાકમાં હતા. અમદાવાદમાં હુમલા માટે ધાર્મિક સ્થળની રેકી પણ કરી હતી.સોશ્યલ મીડિયા પર એકાઉન્ટ થકી ટેરર એટેક માટે યુવાનોને ગુમરાહ કરી 4 આતંકી પણ તૈયાર કર્યા હતા. જેઓ ગુજરાત ઉપરાંત હૈદરાબાદ બેંગ્લોર અને કલકતામાં પણ આતંકીઓના સંપર્કમાં હતા.
અમદાવાદ એટીએસએ બન્ને આતંકીઓને વર્ષ 2017 માં અંકલેશ્વર અને સુરતથી ઝડપી લીધા હતા. જેઓ સામે અંકલેશ્વરની સેશન્સ કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ પરેશ પંડ્યા ઉપસ્થિત રહ્યાં હતાં.ટેરર કેસમાં 75 સાહેદો, એટીએસની તપાસમાં ડિજિટલ, સર્વેલન્સ પુરાવા, ડેટાઓ, લેપટોપ, મોબાઈલ અને પેન ડ્રાઈવ રજૂ કરાયા હતા. જેઓને ગ્રાહ્ય રાખી સેશન્સ જજે બંને આતંકીઓ કાસીમ સ્ટીમ્બરવાલા અને ઉબેદ મિર્ઝાને છેલ્લા શ્વાસ સુધી કેદની સજાનો હુકમ કર્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સત્યા ટીવી અંકલેશ્વર

error: