Satya Tv News

અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના બાદ વધુ એક અકસ્માતમાં યુવકનું મોત થયું છે. વાત જાણે એમ છે કે, મોડીરાત્રે અમદાવાદના એલિસબ્રિજ પરથી જમાલપુર વિસ્તારનો સાહિલ અજમેરી નામનો યુવક બાઈક લઈ પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક એક બેફામ કારચાલકે બાઇકને અડફેટે લેતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા બાદ તેનું મોત થયું હતું.

તાજેતરમાં જ અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલ નામના નબીરાએ બેફામ સ્પીડે જેગુઆર કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા. તે બાદમાં મણિનગર સહિત અનેક વિસ્તારોમાં પણ અકસ્માતની ઘટના સામે આવી હતી. આ દરમિયાન હવે શહેરના એલિસબ્રિજ પર અકસ્માતની ઘટનામાં એક યુવકે જીવ ગુમાવ્યો છે. આ તરફ અકસ્માત સર્જીને કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

error: