Satya Tv News

અમદાવાદના ચંદ્રનગર ચાર રસ્તા પર ગઈકાલે રાત્રે ફૂલ સ્પીડમાં આવેલી મર્સિડીઝ કારે બાઈકને ધડાકાભેર ટક્કર મારી હતી. જેમાં બાઈક પર સવાર દંપતીમાંથી બાઈકચાલકને ઈજા પહોંચી હતી. આ બનાવને પગલે સ્થાનિકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. જોકે, અકસ્માત સર્જ્યા બાદ કારચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. આ અંગેની જાણ થતાં જ પોલીસની ટીમે ઘટના સ્થળે દોડી આવી હતી.

પોલીસ દ્વારા ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાઈક ચાલકને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. હાલ એન-ડિવિઝન પોલીસે અકસ્માત સર્જનાર કાર કબ્જે લઈને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ફરાર કારચાલકની શોધખોળ હાથ ધરી છે.

error: