Satya Tv News

વર્ષ-1947માં ભારત દેશનું વિભાજન થયું હતું ભારત માતાના બે ટુકડા કરવામાં આવ્યા હતા જે ભારત માતાને અખંડ કરવા માટે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા 14મી ઓગસ્ટ અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે મશાલ રેલીનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ થી રામકુંડ મંદિર સુધી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ,વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિત ભાજપ દ્વારા મૌન મશાલ રેલી નીકળી હતી જેમાં પાલિકા પ્રમુખ વિનય વસાવા,શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ,વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ કાર્યકરો જોડાયા હતા.

error: