Satya Tv News

YouTube player

ગાયત્રીનગર ખાતે મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
શ્રી સાંઈ બાબાના નવનિર્મિત મંદિરનો ભવ્ય મહોત્સવ
રહીશોને ઘર આંગણે જ બાબાના દર્શનનો મળશે લાભ

ભરૂચના ગાયત્રીનગર ખાતે આવેલા સુપ્રસિદ્ધ શ્રી જલારામ બાપાના મંદિર ખાતે શ્રધ્ધા અને સબુરીના પ્રતીક સમા શ્રી સાંઈ બાબાના નવનિર્મિત મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

ભરૂચના ગાયત્રીનગર ખાતે આવેલું સુપ્રસિદ્ધ શ્રી જલારામ બાપાનું મંદિર ભકતોમાં શ્રધ્ધાનું કેન્દ્ર બન્યું છે, ત્યારે તેમાં આજે એક નવા પુષ્પનો ઉમેરો થયો હતો.એટલે કે ભરૂચના ગાયત્રીનગર ખાતે આવેલા શ્રી જલારામ બાપાના મંદિર ખાતે આજ રોજ શ્રી સાંઈ બાબાના નવનિર્મિત મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.ભરૂચના ગાયત્રીનગર ખાતે આવેલા સુપ્રસિદ્ધ શ્રી જલારામ બાપાના મંદિર ખાતે મૂળનાયક શ્રી જલારમબાપા સહિત મોટા ભાગના તમામ મુખ્ય દેવી-દેવતાઓની મૂર્તિ આવેલી છે.પરંતુ સાંઈ બાબાની મૂર્તિ આવેલી નથી, માટે ગાયત્રીનગરના રહીશોએ સાંઈ બાબાના દર્શન માટે દૂર સુધી ચાલીને જવું પડતું હતું. માટે ગાયત્રીનગરના રહીશોની શ્રી જલારામ સેવા ટ્રસ્ટ સમક્ષ ઘણાં લાંબા સમયથી માંગ હતી, કે ગાયત્રીનગરમાં આવેલા શ્રી જલારામ બાપાના મંદિર ખાતે સાંઈ બાબાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે.જેને ધ્યાને લઈ શ્રી જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા આજ રોજ સાંઈ બાબાના નવનિર્મિત મંદિરમાં સાંઈ બાબાની ભવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.જેથી ગાયત્રીનગરના રહીશોને હવે ઘર આંગણે જ સાંઈ બાબાના દર્શનનો લાભ મળશે. આ પ્રસંગે જલારામ સેવા ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી શ્રી ખુશાલ પરમાર સહિત મોટી સંખ્યામાં ભક્તોએ હાજર રહીને સાંઈ બાબાના પૂજન, અર્ચન, ભક્તિ, દર્શન, આરતી અને પ્રસાદનો લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: