Satya Tv News

વાલ્મીકિ વાસ ખાતે મહોત્સવની ઉજવણી.
ઘોઘારાવ મંદિરનો જીર્ણોધ્ધાર પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી
અયોધ્યા રામ મંદિર જન્મભૂમિ ટ્રસ્ટની વિશેષ ઉપસ્થિતિ
જિલ્લામાંથી વિવિધ જ્ઞાતિઓના લોકો રહ્યા ઉપસ્થિત 

ભરૂચના અખિલ ભારતીય સમસ્ત સમાજ સેવા સમિતિ તેમજ વાલ્મિકી સમાજના આસ્થાના પ્રતીક એવા ઘોઘા રાવ મહારાજના મંદિર જીર્ણોધ્ધાર – પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૃચ ના લાલ બજાર, વાલ્મીકિ વાસ ખાતે આવેલ ઘોઘારાવ મંદિરનું સમસ્ત જ્ઞાતિઓના સહયોગથી જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો છે.સમાજને એક સૂત્ર માં બાંધવાના સૂત્ર ઘોઘારાવ મંદિરનો જીર્ણોધ્ધાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી શ્રાવણ સુદ ચોથ ના દિવસે કરવામાં આવી હતી.શ્રી ઘોઘારાવ મહારાજના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અયોધ્યાથી આવેલા અયોધ્યા રામ જન્મભૂમિ મંદિરના ટ્રસ્ટી કામેશ્વરજી ચૌપાલ, ડભોઇના માનસરોવર દાસ બાપુ, કુકરવાડાથી આવેલ લોકેશાનંદજી મહારાજ, વાલ્મિકી સમાજના ઘોઘારાવ મંદિરના પૂજારી જય કુમાર ,સનાતન પરિવારના સોમદાસ બાપુ તેમજ મુખ્ય વક્તા તરીકે વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશ અઘ્યક્ષ અશોક રાવલ અને ભરૂચ શંકરાચાર્ય મઠના સંચાલક અને સામાજિક સમરસતાની જવાબદારી જેમના શીરે છે, તેવા મુક્તાનંદ સ્વામી સમસ્ત ભરૂચ શહેરના છડી ઉત્સવના વાલ્મિકી સમાજના પ્રમુખ કમલેશ સોલંકી હાજર રહ્યા હતા.અયોધ્યાથી આવેલ કામેશ્વરજી ચૌપાલજી દ્વારા ભરૂચ સમસ્ત વાલ્મિકી સમાજના તેમજ ભરૂચ શહેર અને જિલ્લામાંથી આવેલ વિવિધ જ્ઞાતિઓના લોકોને સંબોધિત કરાયા હતા. કાર્યક્રમમાં ભરૃચ પાલિકા પ્રમુખ અમિત ચાવડા સહિત અન્ય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શ્રી ઘોઘારાવ મહારાજના સેવકો તેમજ ભરૂચ શહેર અને જિલ્લામાંથી વિવિધ જ્ઞાતિઓના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: