Satya Tv News

ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધને લાંછન લગાવતી ઘટના શહેરની સેન્ટઝેવિયર્સ સ્કૂલમાં બની હતી. આ ઘટનામાં સ્કૂલના સ્પોર્ટસના શિક્ષકે વિદ્યાર્થિનીઓને અશ્લિલ મેસેજ કરતા વિવાદ સર્જાયો હતો. જોકે ત્યાર બાદ સ્કૂલમાં હોબાળો થતા સ્કૂલ પ્રશાસને તાત્કાલિક અસરથી તપાસ કમિટીની રચના કરી હતી. સ્કુલ મેનેજમેન્ટ તપાસ માટે રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં કમિટી બનાવી તપાસ કરતા ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં વિદ્યાર્થીનીઓને આઈલવયુના મેસેજ કરનારો શિક્ષક દોષિત સાબિત થયો છે. આ રિપોર્ટ બાદ હવે શિક્ષક સામે પગલા ભરવાની તૈયારી સ્કૂલ કરવામાં આવી છે.

error: