Satya Tv News

અમદાવાદના પ્રેમ દરવાજા પાસે AMTSબસની અડફેટે આવતા એક બાળકનું મોત થયું છે. બાળક સાયકલ લઈને બહાર નિકળ્યું હતું.તે દરમિયાન બાળક એએમટીએસ બસની અડફેટે આવી ગયું હતું. ખાસ બાબત એ છે કે અવારનવાર અનેક સરકારી બસોના ડ્રાઈવરો બેફામ થઈને ડ્રાઈવિંગ કરે છે.જેના પગલે અનેક નિર્દોષ લોકો તેના ભોગ બને છે.વ્હાલસોયાનો ગુમાવ્યા બાદ પરિવારજનોમાં આંક્રદનો માહોલ છવાયો છે. તો બીજી તરફ પોલીસે પણ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અનેકવાર બસની અડફેટે લોકોના મોતની ઘટના સામે છે.છતાં પણ એમટીએસ અને બીઆરટીએસના ડ્રાઈવરો સુધરવાનું નામ લેતા નથી. ત્યારે સવાલ અહીં એ થાય છે. સલામતીની સવારીની વાતો કરતી તંત્ર ક્યારે આવી ઘટનાઓને ગંભીરતાથી લેશે.અને ક્યારે આ ઘટનાઓ થતી અટકશે ?

error: