Satya Tv News

રાજસ્થાનના બાડમેરના એક NRI, પૃથ્વીરાજ સિંહ કોલુએ મિશન મૂન પર ભારતીય ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ પર ISROના વૈજ્ઞાનિકોને 1 કરોડ રૂપિયાની ભેટ આપવાની જાહેરાત કરી છે. ગઈકાલે સાંજે 6 વાગ્યે ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો હતો, જે બાદ દેશભરમાંથી અભિનંદનની વર્ષા થઈ હતી.

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કરનાર ભારત વિશ્વનો પહેલો દેશ બની ગયો છે. દેશના તમામ લોકો ખુશીથી ઝૂમી રહ્યા છે અને એકબીજાને અભિનંદન આપી રહ્યા છે. હવે બાડમેર નિવાસી NRI પૃથ્વીરાજ સિંહ કોલુએ ISROના વૈજ્ઞાનિકોને 1 કરોડ રૂપિયાનું પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ભારતીય અવકાશ સંશોધન કેન્દ્રના મહત્વપૂર્ણ મિશન ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ પર ભારતીય વૈજ્ઞાનિકોની સફળતાને ધ્યાનમાં રાખીને NRI પૃથ્વીસિંહે આ જાહેરાત કરી છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે NRI મિશન મૂન સાથે જોડાયેલા કયા વૈજ્ઞાનિકોને એક કરોડનું ઈનામ આપશે.

ચંદ્રયાન-3ના સફળ ઉતરાણથી NRI પૃથ્વીસિંહે કહ્યું કે, માત્ર દેશમાં જ નહીં, વિદેશમાં પણ તમામ ભારતીયોને ગર્વ છે. પૃથ્વીરાજ સિંહની કંપની પ્રકાશ પંપ મધ્ય પૂર્વ (અરબ દેશ)માં છે.

error: