Satya Tv News

બારાબંકીના ફતેહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાશિમ નામના વ્યક્તિનું 4 માળનું પાકું મકાન ધરાશાયી થઈ ગયું હતું. આજુબાજુના મહોલ્લામાં રહેતા લોકો પણ મકાનના કાટમાળ નીચે દટાયા હતા. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા હતા જેની જિલ્લા હોસ્પિટલના CMS દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે.ઘટનાસ્થળે પહોંચેલા SPદિનેશ સિંહે કહ્યું કે, આ ઘટનામાં 16 લોકો દટાયા છે. આ તરફ 12 વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા છે તો 4 હજુ પણ ફસાયેલા છે. જેને લઈ હાલ SDRFની ટીમ આવી પહોંચી છે. એનડીઆરએફને પણ બોલાવવામાં આવી છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

એસપી દિનેશ સિંહે જણાવ્યું કે, 3 વાગ્યે માહિતી મળી હતી કે હાશિમ નામના વ્યક્તિનું ઘર ધરાશાયી થયું છે જેમાં 16 લોકો દટાયા છે 12ને બચાવી લેવામાં આવ્યા છે, 4 લોકો હજુ પણ ફસાયેલા છે SDRF પહોંચી ગયું છે. NDRF પણ થોડા સમયમાં પહોંચી જશે, પ્રયાસો ચાલુ છે. દરેકને બચાવી લેવામાં આવશે.

error: