Satya Tv News

રાંદેર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની કોલોનીમાં 11 વર્ષના દીકરા અને 7 વર્ષની દીકરીને ફાંસી આપી માતા પોતે આપઘાત કર્યાની વિગતો સામે આવી છે. મૃતક મહિલાનું નામ રીટા દેવી છે તેમજ ઘર કંકાસમાં આપઘાત કર્યાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

બિહાર ખાતે રાજેશ પ્રસાદ સાથે રીટાદેવીના લગ્ન થયા હતા. રાજેશ કરિયાણાની દુકાન ચલાવી પોતાનો જીવન ગુજરાન ચલાવતો હતો. જ્યાં રિટાદેવીને દુકાને રહેતા એક વ્યક્તિ સાથે પ્રેમ થયો હતો. જેને લઈ રિટાએ રાજેશ પાસેથી છૂટાછેડા લઈ તે વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા હતા. જે રિટાદેવી એકાદ વર્ષ પહેલાં જ સુરત કામકાજ માટે આવ્યા હતા. જેમણે રાંદેર વિસ્તારમાં આપઘાત કરી લીધો છે.

error: