ભારતમાં સરકાર પંચાયતથી લઈને સંસદ સુધીની ચૂંટણીઓ એકસાથે કરાવવાની દિશામાં સતત આગળ વધી રહી છે. હાલમાં જ આ માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી, જેનું નેતૃત્વ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે. આ સમિતિમાં ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરી સહિત સાત લોકોના નામ સામેલ છે. જો કે અધીર રંજને તેમાં જોડાવાની ના પાડી દીધી છે. હવે સૂત્રોને ટાંકીને સમાચાર આવી રહ્યા છે કે આજે તેની પ્રથમ બેઠક રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં તેમના નિવાસસ્થાને યોજાવા જઈ રહી છે.કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ અભિયાનની ટીકા કરી છે. રાહુલે તેને ભારતીય સંઘ અને તેના તમામ રાજ્યો પર હુમલો ગણાવ્યો છે.