Satya Tv News

YouTube player

ભાથીગળ મેઘરાજાના મેળાની જામી રંગત
જાદવ,ખારવા સમાજ દ્વારા છડી ઝુલાવવામાં આવી
25થી 30 ફૂટ ઊંચી છડીને સેવકો દ્વારા ઝુલાવાઈ
ભરૂચના પોલીસવડા,ધારાસભ્યએ છડીના કર્યા દર્શન

સમગ્ર વિશ્વમાં એકમાત્ર ભરૂચમાં જ મેઘઉત્સવ દરમિયાન છડી ઝૂલવવાની અનોખી પરંપરા છે. ભરૂચના ભોઇ વાડ તથા વેજલપુર વિસ્તારમાં જાદવ સમાજ અને ખારવા સમાજ દ્વારા પરંપરાગત છડી ઝુલાવવામાં આવી હતી.

છેલ્લા ઘણા વર્ષોની પરંપરાગત રીતે છડી ઉત્સવ ઉજવવામાં આવે છે. ત્યારે ભોઈ સમાજના યુવાનો દ્વારા છડી ઝુલાવવામાં આવી હતી. છડી ઉત્સવ પાછળની કથા પર નજર કરીએ તો ઘોઘારાવ પોતાની માતા અને રાણીનાં અત્યંત કલ્પાંતથી વર્ષમાં શ્રાવણ વદ સાતમથી દશમ ચાર દિવસ સુધી સૃષ્ટિ પર આવે છે. અને આ દિવસોમાં ઉત્સવ ઉજવવામાં આવે છે.છડીએ દેવી પુરુષનું પ્રતિક અને તેની માતા બાછળનું રૂપ છે. છડીને ફરતે લાલ કસુંબો કે રેશમી લાલ કાપડ લગાડવામાં આવે છે અને ખેસ બાંધવામાં આવે છે. છડીને આઠમના દિવસે ઝૂલવવામાં આવે છે. જ્યારે વદ નોમને દિવસે ધામધૂમપૂર્વક કાઢી અધ્ધર ઉચકીને ભોઈવાડથી ઘોડીકૂઈ બજાર લઇ જવામાં આવશે અને ત્યાં રાત્રી વિશ્રામ કર્યા બાદ દશમના દિવસે પુનઃ ભોઈવાડમાં લાવી બે છડી ને ભેટાવી મેઘરાજાની સવારી કાઢવામાં આવે છે.જેના દર્શનાર્થે આજરોજ ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ આટોદરિયા, ભરૂચ એસપી મયુર ચાવડા સહિતના મહાનુભાવો એ ગોગારામ મહારાજના દર્શન કરી છડી ઝૂલવાતા છડીદારોને નિહાળી છડીના દર્શનનો લાહાવો લીધો હતો.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: