સુરેન્દ્રનગરના લોકમેળામાં મોતના કૂવામાં અકસ્માત સર્જાયો હતો.મોતના કૂવામાં સ્ટંટ કરતી કારનું અચાનક જ ટાયર નીકળી ગયું હતું. સ્ટંટ કરતી વખતે ટાયર નીકળી જતા ચાલુ કાર 30 ફૂટ ઉંચેથી નીચે પટકાઈ હતી. જો કે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માત બાદ લોકો એકઠા થઇ ગયા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.