Satya Tv News

YouTube player

નર્મદા મૈયા બ્રિજ પરથી એક યુવકે મારી મોતની છલાંગ

પરિવારજનો નર્મદા કિનારે દોડી આવ્યા

માછીમારો યુવાન માટે બન્યા દેવદૂત

ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પરથી આશાસ્પદ યુવાને મોતની છલાંગ લગાવી હતી. જોકે નજીકમાં હાજર નાવિકોએ દેવદૂત બનાવી યુવાનને બચાવી લઇ પોલીસ મથકે અને પરિવારજનોને જાણ કરી હતી.

અંકલેશ્વર નર્મદા મૈયા બ્રિજ સુસાઈડ પોઈન્ટ બન્યો હોય તેમ લાગી રહ્યું છે. આજે રવિવારના રોજ બપોરના સમયે એક યુવાને નર્મદા મૈયા બ્રિજ પરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી. યુવકના કુદવાના અવાજ સાથે નજીક માછીમારી કરી રહેલા માછીમારોની નજર ડૂબી રહેલા યુવક પર પડી હતી.

જેથી માછીમારો તાત્કાલિક નાવડી લઈને તેની નજીક પહોંચી યુવક ડૂબે તે પહેલાં જ તેને પકડી નાવડીમાં ખેંચી લીધો હતો. આ યુવકને બહાર લાવી માછીમારોએ તેને સાંત્વના આપી તેને સમજાવ્યો હતો. આ દરમિયાન યુવાનની શોધખોળ કરતા તેના પરિવારજનો પણ ત્યાં પહોંચી જતાં તેને બાઈક પર લઇ રવાના થઇ ગયા હતા.

જોકે આ યુવાન અંકલેશ્વર વિસ્તારનો હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ તેણે નર્મદા નદીમાં મોતની છલાંગ કેમ લગાવી તે જાણવા મળ્યું ન હતું. આ મામલે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને પણ જાણ થતા આ યુવાન કોણ હતો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: