Satya Tv News

સુરતમાં ઈન્કમટેક્સ વિભાગના 100 જેટલા અધિકારીઓની ટીમો દ્વારા જ્વેલર્સના ત્રણ ગ્રુપના 35થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. એક સાથે 35 સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવતા શહેરના અન્ય જ્વેલર્સ, બિલ્ડરો અને ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર આવકવેરા વિભાગની ટીમ દ્વારા સુરતના જાણીતા કાંતિલાલ જ્વેલર્સ, પાર્થ ગ્રુપ અને અક્ષર ગ્રુપના 35થી વધુ ઠેકાણાઓ પર દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતમાં ત્રણ મોટા ગ્રુપ પર ઈન્કમટેક્સની ટીમ ત્રાટકતા ડાયમંડ નગરીમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં તપાસના અંતે મોટા બેનામી વ્યવહારો મળી આવે તેવી શક્યતા છે.

error: