Satya Tv News

YouTube player

મોદીના જન્મદિનની પાંજરાપોળ ખાતે ઉજવણી
ગૌપુજન સાથે 1150 રોટલીનું ગૌ માતાને ભોજન
પાંજરાપોળના ટ્રસ્ટી,અન્ય સ્ટાફના સભ્યો ઉપસ્થિત

ભરૃચ જિલ્લા ભાજપ દ્વારા પાંજરાપોળ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

વડાપ્રધાન મોદીના જન્મદિનની ઉજવણી અંતર્ગત ભરૃચ જિલ્લા ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિ સિંહ અટોદરિયા,મહામંત્રી નીરલ પટેલ, ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, મહિલા મોરચા પ્રમુખ પ્રફુલ્લા દૂધવાળા સહિત આગેવાનોના હસ્તે ગૌપ્રેમી ભૂદેવ કૌશિક મહારાજના મંત્રોચ્ચાર સાથે પ્રથમ ગૌપૂજા કરવામાં આવી હતી.ત્યારબાદ ગૌમાતાને 1,150 જેટલી ગોળ, ઘી મિશ્રિત રોટલી ખવડાવવામાં આવી હતી.આ પ્રસંગે પાંજરાપોળ ના ટ્રસ્ટી બિપીન ભટ્ટ સહિત અન્ય સ્ટાફ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા..

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે  સત્યા ટીવી ભરૂચ

error: