Satya Tv News

કઠલાલ તાકુલાનાં રૂઘનાથપુરા ખાતે રહેતા સુધાબેન દિલીપભાઈ ભોઈ અને સુરેખાબેન વિક્રમભાઈ ભોઈ બંને દેરાણી જેઠાણી છે. ત્યારે આજે બપોરનાં સુમારે એક મહિલા ઘરની છત પર કપડા સૂકવવા ગયા હતા. તે દરમ્યાન તેઓ જીવંત વીજ વાયરને અડી જતા મહિલાને કરંટ લાગતા તેઓનું ઘટનાં સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક મહિલા તેઓને કરંટથી બચાવવાનો પ્રયત્ન કરતા તેઓને પણ કરંટ લાગ્યો હતો.

એક જ પરિવારની બે પુત્રવધુનાં અચાનક જ મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટનાં બનતા પાડોશીઓ ઘટનાં સ્થળે દોડી આવ્યા હતા. જે બાદ બંને મહિલાઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે બંને મહિલાઓને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો. કઠલાલ પોલીસે અપમૃત્યુનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે બંને મહિલાઓ 4 સંતાનોને નોધારા મુકી ગયા હતા.

error: