Satya Tv News

સુરતના જાણીતા બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. નરેશ અગ્રવાલ નામના બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કરતા સુરત બિલ્ડર લોંબીમાં ચકચાર મચી જવા પામી છે. ઓફિસમાં જ 14 જેટલી ઘેનની ગોળીઓ ગળી આપઘાત પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવી છે. જો કે, તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાદ વધુ સારવાર અર્થે અન્ય ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાયા છે. જો કે, હાલ બિલ્ડર નરેશ અગ્રવાલની તબિયત સ્થિર હોવાની માહિતી છે.લેણદારો દ્વારા ધમકી અને સતત ઉઘરણીને લઇ આપઘાત કર્યો હોવાની ચર્ચા સામે આવી છે. જો કે, સમગ્ર બનાવને પગલે પરિવારજનો ચિંતામાં મુકાયું છે.

error: