Satya Tv News

પવિત્ર યાત્રાધામ સોમનાથમાં ભગવાન મહાદેવના પ્રથમ જ્યોતિર્લીંગના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવે છે. ભગવાન શિવનું મંદિર દરિયા કિનારે આવેલું હોવાના કારણે તે યાત્રિકોના આકર્ષણનું કેન્દ્ર છે. મંદિરના પરિસરમાંથી જ યાત્રિકો દરિયાને નિહાળી શકે છે. સોમનાથ આવતા યાત્રિકો આ દરિયામાં ન્હાવા પણ જતા હોય છે. નાના બાળકોથી લઈને યુવાનો, વડીલો સુધી આ દરિયામાં ન્હાતા હોય છે. ત્યારે સોમનાથના દરિયામાં ગટરનું પાણી છોડી લોકોના સ્વાસ્થ્ય સાથે રમત થતી હોય તેવું પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

આ પાણી દરિયામાં ન્હાતા લોકોને નુકસાન પહોંચાડી શકે છે. ગટરનું ગંદુ, પ્રદૂષિત પાણી સીધું જ દરિયામાં વહાવી દેવાય છે. જેના માટે સુવ્યવસ્થિત માનવ સર્જિત રસ્તો પણ બનાવેલો છે. આ રસ્તા દ્વારા ગટરનું પાણી સરળતાથી દરિયાના પાણી સાથે ભળી જાય છે. યાત્રિકોને દરિયાના પાણીમાં ન ન્હાવાની અપીલ કરવામાં આવી છે. જણાવવામાં આવ્યું છે કે દરિયામાં ખૂબ જ પ્રદૂષિત અને દુર્ગંધયુક્ત પાણી ભેળવવામાં આવી રહ્યું છે. જે દરિયામાં ન્હાતા લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું તંત્ર આ વીડિયોના આધારે આની પર કોઇ એક્શન લે છે કે કેમ?

error: