કુકરવાડાના નદીકિનારે અજાણ્યો મૃતદેહ દેખાયો
મૃતદેહ તપાસતા ઈસમનું મૃતદેહ જાણવા મળ્યું
ફાયર ફાઈટરની ટીમ પહોંચી કુકરવાડા નદીકિનારે
મૃતદેહને PM અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી
ભરૂચ નર્મદા નદીમાં બે દિવસ પહેલા મોતની છલાંગ લગાવનાર યુવતીના મૃતદેહની શોધખોળ કરી રહ્યા હતાં.આ સમયે કૂકરવાડા ખાતે નદીમાં એક મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતા ત્યાં જઈ તપાસ કરતાં આ મૃતદેહ એક ઇસમનું હોવાનું માલુમ પડ્યું હતું.
ભરૂચની નર્મદા નદીમાં નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી મોતને વ્હાલું કરનારા એક યુવતીનો મૃતદેહ હજી સુધી મળ્યો નથી.જેથી અંકલેશ્વર ફાયર ફાઈટરની ટીમ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની ટીમ સાથે મળીને મૃતદેહ શોધી રહ્યા હતા.આ દરમિયાન કુકરવાડા ગામના મનીષ પટેલ દ્વારા ધર્મેશ સોલંકીને ટેલિફોનિક જાણ કરી હતી.જેમાં જણાવ્યું હતું કે,કુકરવાડાના નદીકિનારે કોઈ અજાણ્યો મૃતહેહ પાણી ઉપર દેખાઈ રહ્યો છે.જેની જાણ થતાં જ અંકલેશ્વર ફાયર ફાઈટરની ટીમ કુકરવાડા નદી કિનારે પોહચી પાણીમાં જોતા તે મૃતદેહ યુવતીનો નહિ પરંતુ કોઈ પુરુષનો હોવાનું માલુમ પડ્યું હતું.આ મૃતદેહને ફાયર ફાઈટરની ટીમની મદદથી કિનારા સુધી લાવી તપાસ કરતા માલુમ પડ્યું હતું કે,આ મૃતદેહ અરૂણ જીતુ વસાવા ઉમર વર્ષ 20 રહે, પાંચબત્તી, મિલેનિયમ માર્કેટ પાછળનો હોવાનું જાણવા મળ્યું હતું.જેથી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ